બે મુક્તકો
મનહરલાલ ચોક્સી
જીવન્-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય, હું જ અને હું જ દ્રોણ છું
દિગંત પરીખ
એક સફરની વાત છે કે રાહમાં
આંધળા અડફટમાં આવી જાય છે
એક નજરની વાત છે કે પ્રેમમાં
આંધળો રસ્તો બતાવી જાય છે
એક સફરની વાત છે કે રાહમાં
આંધળા અડફટમાં આવી જાય છે
એક નજરની વાત છે કે પ્રેમમાં
આંધળો રસ્તો બતાવી જાય છે
THIS IS TRUE.. ખરેખર સુંદર વાક્ય રચના..!!…
By: chetu on સોમવાર, માર્ચ 19, 2007
at 10:14 Z