Posted by: જય ભટ્ટ | બુધવાર, July 27, 2011
Self Reflections…
આટલો મોટો સુરજ મારી આંખોમાં સમાવી શકું છું…ભક્તિ , પ્રેમ અને લાગણીનો અવિરત સ્ત્રોત
અદ્રશ્ય એવા મનમાંથી હરહમેશ સ્ફુર્યા કરે છે. એને લીધે એક શિક્ષક તરીકે શીખવવાનો આનંદ તો છે જ પણ શીખવ્યાની પ્રતીતિ અને તેનો અહેસાસ નિર્વ્યાજ આનંદનો સનાતન અનુભવ કરાવે છે..જે મારી આંખમાં સમાયેલા સુરજ કરતાં પણ અસીમ અને અનંત છે.
સ્નેહનું અમીસિંચન એટલે વાત્સલ્યભાવથી રેલાતું માનવીય મન.
એ એક એવો ભાવ છે જે જેટલો વધારે રેલાય એટલો વધારે વધે.
એનો રેલો કઠોરમાં કઠોર વજ્ર હ્રદયને પણ સ્પર્શી જઈ
એને કોમળ બનવાની તક આપે છે…વાત્સલ્યભાવથી ઉભરાતું એ માનવ હ્રદય અને એમાંથી ઝરતી નિસ્વાર્થ લાગણી
વિશ્વભરમાં માનવતાની મહેક ફેલાવતું થઇ જાય છે, અને એવા માનવ હૃદયોનો મેળો એટલે પૃથ્વીપરનું અદ્ભુત ‘નંદનવન’…
Like this:
One blogger likes this post.
અમૂલ્ય અભિપ્રાયો