Posted by: જય ભટ્ટ | બુધવાર, July 27, 2011
સંવેદનોનું અસ્તિત્વ
મારા મનની ભીતરમાં જઈ સંવેદનાને શોધવાનો પ્રયત્ન કરું છું
પણ એનું physical અસ્તિત્વ કશે દેખાતું નથી. એને અનુભવી શકું છું, વ્યક્ત કરી શકું છું,
અને શબ્દબદ્ધ કરી નીચોવી શકું છું પણ જોઈ શકતો નથી. ખુબ વર્ષો પછી અચાનક જ ટ્રેનમાં મળી જતા બે મિત્રોની વાતચીતમાં ઉભરાતી લાગણીને, હું સમજી શકું છું પણ એને માપી શકતો નથી એની ઉત્કટ ભાવનાઓને તારવી શકું છું…
પણ સંવેદનો હજી દેખાતા નથી. ભાવના અને ઊર્મિ હજી દેખાતી નથી. એ જેટલી વધારે વપરાય છે એમાં એનાથી પણ વધારો થાય છે… જો દેખાતી હોત તો શું થાત? સાચી લાગણી અને સંવેદનો જોતા જોતા ઈશ્વરના દર્શન થઇ જાત….કદાચ…?
Like this:
Be the first to like this post.
અમૂલ્ય અભિપ્રાયો