Posted by: bansinaad | Wednesday, March 18, 2009
ડો . કિશોર મોદીની એક રચનાઃ વસંતની
હર પળ હવે ગુલાબી છે ઈચ્છા વસંતની,
તું પાનખરને મૌનનું કારણ પૂછીશ મા,
શર્મિલા સ્મિત ફૂલ જેવાં રૂપમય મળે,
એ ઓઢણી સુગંધથી મઘમઘતી માણી લે,
ગુનગુન, કૂજન, પવન મહીં મર્મરની આરજૂ,
રૂપેરી યાદની પરબ લઈ સાંજ આવી છે,
Posted in વીણેલાં મોતી
