Posted by: bansinaad | Tuesday, July 8, 2008

અનિલ પરીખ લિખિત બે લઘુકાવ્યો: ‘સાંભળો છો કે?’ અને ‘નજર નો ફેર ‘

અનિલ પરીખ લિખિત બે લઘુકાવ્યો:  ‘સાંભળો છો કે?’ અને ‘નજર નો ફેર ‘ 

સાંભળો છો કે?

ગુજરાતના ઘેર ઘેર બોલાતું આ સંબોધન
પતિ-પત્ની એક્મેકને નામ વગર કરે ઉદ્બોધન
કોઈક અજાણ્યું સાવ અચાનક ‘સાંભળો છો કે ?’ પૂછે
મનમાં ભાવ સહજ કેમ પોતિકાનો જન્મે ?
શબ્દો એ ના એ જ છે, પણ કાંઈક બદલાયેલું લાગે
બદલયાના આ સંજોગોમાં શું કામ મીઠાં લાગે ?

નજર નો ફેર

પતંગીયું પુષ્પને ચુમે ને પુષ્પ શરમાઈ જાય
ગોપી કૃષ્ણ સંગ રમે રાસ અને રાધા થઈ જાય
સુર્યમુખી સુર્યને પામવા દીશાઓ બદલતું જાય
માણસની નજર જ કાં એવી કે જોવા જાય ‘ને માર ખાઈ જાય ? !

અનિલ પરીખ, અક્ષરના અક્ષત. પૃ. ૫, ૨૪/૫/૨૦૦૪


Responses

  1. DRASHTI EVI SRUSHTI..!

  2. સાંભળો છો સરસ કવિતા લઇને આવ્યા છો


Leave a response

Your response:

Categories