Posted by: bansinaad | Thursday, April 10, 2008

પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય: શિષ્ટાચાર

પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય:

અચાનક
ક્યારેક્
કોઈ સવારે
બારીએ ડોકાતાં
અમે બે પડોશી
એકમેકને અમસ્તું જ
પૂછી બેસીએ છીએ:
“કેમ છો?”
ત્યારે વરસોથી
બે ફળિયા વચ્ચે
અંકાઈ ગયેલ થોરની વાડમાં
તે ક્ષણે
સંબંધનું એક ગુલાબ મહેંકી ઊઠે છે.

‘દમક’ માંથી, પૃ. ૬૪

સહિયારું સર્જન પર ‘કેમ છો?’  વિષય પર બીજી રચનાઓ વાંચવાનું ભુલશો નહિ.


Responses

  1. સુંદર કવિતા… પ્રીતમભાઈની કવિતાઓ ક્યારેક અંદર સુધી હલાવી દે એવી હોય છે.

  2. કેમ છે જય?

  3. nice short poem..

  4. amazing…….!!

    no words… great expressions…..!!


Leave a response

Your response:

Categories