Posted by: bansinaad | Wednesday, January 30, 2008

ગાંધીજીને પૂછું છું

ગાંધીજીને પૂછું છું

ક્રોધને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું,’આ ક્રોધ શા માટે?’

સ્વાર્થને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ સ્વાર્થ શા માટે?’

અહંકારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ અહંકાર શા માટે?’

તિરસ્કારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ તિરસ્કાર શા માટે?’

દ્રવ્યલોભને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ દ્રવ્યલોભ શા માટે?’

લાગે છે કે પ્રેમની દુનિયામાં આવી રહી છે ઓટ,
અને લાગે છે કદાચ કે પ્રેમ-શક્તિ મળે ફરી ગાંધી-અંજલિ દ્વારા


Leave a response

Your response:

Categories