“આફ્રિકાથી ગાંધીજી જાન્યુઆરી, 1915માં ભારત આવ્યા ત્યારે તેમણે પોતાના વતન ગુજરાતમાં સ્થાયી થવું નક્કી કર્યું. ગુજરાતીઓમાં હિંદુસ્તાનની સ્વતંત્રતા બાબત જાગૃતિ આવી રહી હતી.
ગુજરાતમાં મહાત્મા ગાંધીએ અમદાવાદના પાલડી પાસે કોચરબમાં પોતાનો પહેલો આશ્રમ સ્થાપ્યો.
કોચરબ આશ્રમમાં તેમણે પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી, ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સ્થિત ગુજરાત ક્લબ વકીલો અને અન્ય બુદ્ધિજીવીઓનું મિલનસ્થાન બની રહેતી. ગાંધીજી કાઠિયાવાડી પહેરવેશમાં ગુજરાત ક્લબ જતા – અંગરખું, માથે ફાળિયું અને ખેસ.”
આગળ વાંચો: અનુપમા બ્લોગ પર ‘મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અમદાવાદની ગુજરાત ક્લબ’
Posted in ડીજીટલ ગાંધીજી
