મન ને સમજવું ઘણું મુશ્કેલ છે. કોઈ વખત આપણાં શબ્દોની, લખાણની, કે વાતચીતની કંઈ જુદી જ રીતે તારવણી મન કરી લેતું હોય છે. ત્યારે શરું થાય છે અણસમજુતી ની શરુઆત. આવી પરિસ્થિતિ માં ‘મન’ દોડે છે, વિચારોમાં અટવાય છે, થાકે છે. મનની ગહેરાઈઓને સમજવું અશક્ય બની જાય છે ત્યારે કોઈ કવિ હ્ર્દયમાંથી જન્મે છે કાવ્યરચના અમર થવા માટે.
