વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા સૌને માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન કરાવતી અખિલભાઈની વેબસાઇટ પર પહોચવા અહી ક્લીક કરો:  અખિલટીવી

અંતરના ઉંડાણમાંથી
દિલની વાત, દિમાગથી - અખિલભાઈ સુતરીઆના બ્લોગ પર જુઓ: કાવેરીને કિનારે અને જીવનયાત્રા
ખૂબ જ પ્રશંસનીય પ્રયોગ, અખિલભાઈ.

 

ગુર્જરીની નવી વેબ સાઈટ પર વાંચો: મારા સ્વપ્‍નનું ભારત અને ગાંધી કોર્નર

“માતૃભાષા અને વિશ્વભાષા
હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઈનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરૂણ સ્ત્રી-પુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઈચ્છતો નથી.”

 

Posted by: bansinaad | Thursday, April 10, 2008

નદી કિનારે એક શિવ મંદિર

નદી કિનારે એક શિવ મંદિર

રાંદેર માં આવેલું તાપી નદી ને કિનારે એક શિવ મંદિર. ઉનાળાની રજાં પડતાં જ અમારી સવારી રાંદેર આવી પહોંચતી. ત્યાં મારું મુખ્ય આકર્ષણ આ મંદિરે જવાનું  રહેતું પગપાળા અમે બધાં ઘરે થી જવાં નીકળતાં. ચાલવાનો આનંદ કંઈક અનેરો જ હતો. નાનપણથી જ ગામડાં ના જીવનમાં બહુ રસ ધરાવતો એટ્લે આવતાં જતાં તમામ બળદગાડાં ગણતો, ઘરોની રચનાઓનું બારીકાઈ થી નીરીક્ષણ કરતો, અને મંદિરે જતાં જતા ગલ્લાં પર બેસી ચહા પીવાનો અપ્રતિમ આનંદ માણતો. સાથે સાથે સેવ-ગાઠિયા અને નાન-ખટાઈ પણ ખરી જ. જહાંગીરપુરા ગયાં પછી જમણી બાજુ એ વળતાં ત્યારે કોઈ કોઈ વાર તાપી નદીના સુંદર દર્શન થતાં. મંદિરે દર્શન કરીને નજીકમાં આવેલી પાંચ પાંડવોની ગુફા કે (નાના મંદિરો - બરાબર યાદ નથી)જોતાં. ત્યાર બાદ નદીને ઓવારે જઈ બેસતો અને સુંદર નદી ના દર્શન મનભરીને કરતો. સમી સાંજનું રમણિય દ્રશ્ય, નદીમાં આગળ વધતી હોડીઓ, કુદકાં મારતાં નાનાં ભુલકાઓ, આજુબાજુંમા ઉગેલાં સુંદર ફૂલો, અને મહાદેવનું સુંદર મંદિર  આ બધું જોતાં જોતાં મને એવી પ્રતીતિ થતી કે જાણે દુનિયાની બધી જ સુંદરતાં ઝરણું બની મારી જીવન ની તૃષા છીપાવી રહી છે….અહીં અમેરિકા આવી ને એવી જ કોઈ સાત્વિક સુંદરતાની શોધમાં છું….કૃત્રિમ નહિ.

પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય:

અચાનક
ક્યારેક્
કોઈ સવારે
બારીએ ડોકાતાં
અમે બે પડોશી
એકમેકને અમસ્તું જ
પૂછી બેસીએ છીએ:
“કેમ છો?”
ત્યારે વરસોથી
બે ફળિયા વચ્ચે
અંકાઈ ગયેલ થોરની વાડમાં
તે ક્ષણે
સંબંધનું એક ગુલાબ મહેંકી ઊઠે છે.

‘દમક’ માંથી, પૃ. ૬૪

સહિયારું સર્જન પર ‘કેમ છો?’  વિષય પર બીજી રચનાઓ વાંચવાનું ભુલશો નહિ.

Posted by: bansinaad | Monday, April 7, 2008

વિચારગંગા

વસંત ગાન
રમણીય વિહાર
પ્રેમ સમય 
 
મનભાવન
રૂડી વસંત ગમે
રંગે રંગાવે

ગગનમાં નીરખું છું ચંદ્રને, પામું છું શીતળ અનુભૂતિ
મનનમાં ઓળખું છું ચંદ્રને, પામું છું પ્રેમની અનુમતિ
ચમનમાં જોઉં છું ચંદ્રને, ગુમાવું છું સંયમની મનોગતિ
અમનમાં ધારું છું ચંદ્રને, પામું છું  શાંતિની લહેરખી

માનવ પણ પોતાનુ સંકુચિતપણું છોડી મનની વિશાળતાને વધારી મૈત્રીભાવને વિસ્તારી વૈશ્વિક બનાવે, તો કદાચ ‘વેર, ઝેર, રાગ, અને દ્વેશ’ જેવાં શબ્દો કાયમ માટે શબ્દકોશમાંથી નીકળી જાય. જરૂર છે ‘વૈશ્વિક મૈત્રીભાવ’ ની. સાચે જ ઘણી વખત એવું લાગે છે કે જીવનનાં અસ્તિત્વ વિષે સમજવાં કદાચ અગણિત જન્મારાઓ લેવા પડશે. ‘માનવમન’,  ‘માનવ’ અને ‘પ્રેમ’ આ બધાં ને સમજવાં આ એક જન્મારો કેવી રીતે ચાલે?  ‘લાગણી’ વગરની બુદ્ધિ માનવ-જીવનને મૈત્રીવિહિન બનાવી શકે છે. ‘બુદ્ધિ’ અને ‘લાગણી’ ના સમન્વયથી ‘વૈશ્વિક મૈત્રીભાવ’ વધી  શકે અને જીવન મીઠું મધૂરૂં બની શકે.

પ્રીતમ લખલાણી ના એક કાવ્ય ‘અધૂરી કથા’ માં થી લખું છું:

મારા વિચારોની અલમારીમાં
ક્યારેક તું
વાંચ્યા વગરની
ધૂળ ખાતી નવલકથા સમી
આંખમાં ચઢે છે

Posted by: bansinaad | Monday, April 7, 2008

ઈચ્છા-ઉલ્લાસ

ચંચળ મન બને છે મુકત ઈચ્છાનો સ્ત્રોત
મધુર તન અર્પે છે સંચિત ઈચ્છાને સ્થાન
હું નહિ માંગુ ઈચ્છા-મુક્તિ એ જ મારો ઉલ્લાસ
જીવનભર નો મળે પ્રેમ એ ઈચ્છાને સથવારે

Posted by: bansinaad | Monday, April 7, 2008

છ ગમતાં મુક્તકો

મુસાફિર પાલનપુરી

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં એક્ધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઈની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

નવલ દવે

જોઈ લ્યો કેવો ગજબ જંગ થઈ ગયો
હું જ મારી જાતથી દંગ થઈ ગયો
લઈ અરીસો હાથમાં ને જરા જુઓ
હું તમારા રૂપનો રંગ થઈ ગયો

રમેશ પટેલ

હસ્તરેખા સ્પષ્ટ બનતી જાય છે
આ ક્ષણો પણ સ્તબ્ધ બનતી જાય છે
હું શ્વસું છું શબ્દને આ ખંડમાં
ને હવા નિ:શબ્દ બનતી જાય છે

પ્રવીણ સોલંકી

હું તારા પ્રેમને કોઈ ગજથી માપી ન શક્યો
તેં મને દુ:ખ દીધાં તોયે સંતાપી ના શક્યો
હે ખુદા! આપણે મગરૂર એટલાં હતા કે
હું કંઈ માંગી ન શક્યો, તું કંઈ આપી ન શક્યો

ભગવતીકુમાર શર્મા

રેત છું પણ શીશીમાં ખરતો નથી
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી

ગની દહીંવાલા

ચાહું છું કોઈમાં વિશ્વાસ મુકી દઉં આજે
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે

Posted by: bansinaad | Monday, April 7, 2008

વસંતનું આગમન

વસંતનું આગમન
ફૂલોનો સંદેશ
સર્વસ્વનો ત્યાગ
સૌંદર્યનું રસપાન

વસંત મહોત્સવ
રમણીય ફૂલોત્સવ
અસ્તિત્વનો ઉલ્લાસ
પ્રેમનો હર્ષોલ્લાસ

વસંત-વિહાર
રંગો સદાબહાર
ભ્રમરોનુ રસપાન
પુષ્પોનું પ્રણયગાન

જુઓ: અમેરિકામાં વસંત
          લોંગવુડ ગાર્ડનમાં ફૂલોની ફોરમ

ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં વેબ ૨.૦ વિષય પર એક સંમેલન

અહીં ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં ૧૬મી એપ્રિલના રોજ વેબ ૨.૦ ના વિષય પર એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓરકૂટ, ફેસબુક, માય સ્પેસ, કે પછી બલોગ્સ - બધી નવી નવી ટેકનોલોજી આપણે ‘સોશિયલ નેટવર્ક્સ’ના નામે ઓળખીએ છીએ. કદાચ આપણે બધાં જ એનો વધતાં ઓછાં પ્રમાણમાં વપરાશ કરીએ છીએ. હવે અહીં વૈજ્ઞાનિકો આ ”સોશિયલ નેટવર્ક્સ’નો,  નવી નવી થતી શોધખોળોને, અનૌપચારિક –સંગઠનના સ્વરૂપે વેબ પર ચર્ચાત્મક રીતે રજુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મજાની વાતતો એ છે કે આ સંમેલનની વીકીની સાઈટ પર તમે દુનિયાના કોઈ પણ ખુણામાંથી જોડાઈ શકશો. તમારો અમુલ્ય અભિપ્રાય જરૂરથી તમે આપી શકશો. આપણાંસૌ ભાઈ-બહેનોને ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં આવી આ સંમેલનમાં ભાગ લઈ શકે એ માટે મારું ખાસ આમંત્રણ. વીકી પર તો સૌ કોઈ આ મહત્વના સંમેલનને માણી શકશે.

વધુ માટે વાંચો:

સ્કોલરટુસ્કોલર સંમેલન

રજીસ્ટ્રેશન

વેબ ૨.૦ના વિષય પર વધુ વાંચો

સંમેલન - કાર્યસૂચિ

અત્યાર સુધીમાં દાખલ થયેલા સભ્યોની યાદી

Posted by: bansinaad | Friday, April 4, 2008

“સનાતન જાગૃતિ

“સનાતન જાગૃતિ” નો ધ્યેય ભારતવર્ષમાં પરંપરાગત ચાલતી આવતી સનાતન ધર્મની જીવન શૈલી અને એના રીતી રીવાજોને જનસામાન્ય સુધી પહોંચાવી, સમાજમાં સનાતન ધર્મનો સાચો મર્મ દેખાડવાનો છે. તથા જનસામાન્યને વેદાન્તી જીવન દર્શનનું જ્ઞાન કરાવાનું છે, જેનું અનુકરણ કરીને સમાજનો કોઇ પણ વ્યક્તિ ક્રમશઃ વિકાસ કરતા આનંદના ઉચ્ચ સ્તરનું શ્રેષ્ઠત્તમ જીવન જીવી શકે.

વધુ જાણો

 ”ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે.” ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા.”

આગળ વાંચો ‘સનાતન જાગૃતિ’ની વેબ સાઈટ પર

સિકંદર અને સંત કબીર

Categories