Posted by: જય ભટ્ટ | સોમવાર, April 22, 2013

પ્રાણાયામ

પ્રાણાયામ

C-PAP મશીનમાંથી
નીકળતો
rhythmic સુર
અને હું મારા શ્વાસોચ્છવાસ
પર meditation
કરું છું.
મારા શ્વાસ ગણું છું.
એક હાથમાં
ચાર પાંચ મહિના પહેલા
નવો લીધેલો Android
સુક્ષ્મ ધ્યાનથી
મોબાઈલ પર
મિત્રોના સરી જતા વિચારોને
સાંભળું છું.
એક સર્જનાત્મક પ્રતિક્ષા.
અને ફરી સંભાળતો મશીનનો અવાજ..
અને એક વિચાર ઘુમરાયા કરે છે.
મારા શ્વાસોની ઓછી થતી સંખ્યા.
મારી લીમીટેડ અવધિમાં
પણ c-pap મશીન પરનો વિશ્વાસ
એ નિશ્ચિત અવધિ
માં કોઈ કાપ આવવા દેશે નહિ.
બીજે દિવસે ફરી હું  campus walk પર.
એક બાકડા પર બેસીને
પ્રાણાયામ.

Posted by: જય ભટ્ટ | મંગળવાર, April 9, 2013

વાતચીત

ક્ષણોની વણથંભી
વણઝારમાં,
જીવનની
વાસ્તવિક દુનિયામાં.
જોઉં છું સમયના
અસંખ્ય પ્રતિબિંબો,
સુદર સ્વપ્નોના છાયા ચિત્રો,
કાયમ માટે
વણાઈ ગયેલા
સ્મરણોનાં સથવારે….
વ્યસ્તતાના બહાને
લખવાનું બાષ્પીભવન,
પણ યાદ તો સનાતન
એ સમય
એ મુલાકાત
એ વાતચીત
ભૂલાય કેમ?

Posted by: જય ભટ્ટ | બુધવાર, March 27, 2013

સમયનાં ઊંડાણમાં

મન વિચારોથી છલકાય છે …ત્યારે હું લખું છું….
લાગણી ઉભરાય છે … ત્યારે લખું છું..
સહિયારું સર્જન વિચારું છું.. ત્યારે લખું છું…
કોઈ વચાર સ્પર્શી જાય છે — ત્યારે લખું છું…
કોઈ વખત ખુબ વધુ પડતું લખાઈ જાય છે…
પણ લખું છું ખરો…

સમયની ગહેરાઈમાં
ઊંડો ઉતરતો જાઉં છું.
જોઉં છું કે સફળતા નિષ્ફળતાના સરવૈયામાં
કોઈ  વાર કઈ  મળ્યું અને અને કોઈ વાર કઈ ગુમાવ્યું.
સ્નેહ અને મિત્રતાની સરવાણી.
કોઈ ગહન વર્તન
સમજ બહાર
સ્વીકાર એનો
અને મારા તારાની beyond,
સનાતન હુંફ
જીવન જીવવાનું અકસીર ઔષધ
પહોચું છું સફળતા નિષ્ફળતાની beyond
વર્ષોના આંતર મંથન પછી
નહિ દેખાતી મિત્રતા
પણ મૈત્રી બનીને આવે છે
જીવન સાથેની મૈત્રી વધુ
પ્રગાઢ બને છે.

Posted by: જય ભટ્ટ | બુધવાર, March 27, 2013

ધુળેટીના રંગો

આશરે છ વર્ષ પહેલાની ધુળેટી વખતે થયેલા અનુભવની આ રંગ બે રંગી છોળો તમારી તરફ…. એક અહીં ની શાળામાં ભણતી અમેરિકન વિદ્યાર્થિની મને ‘હોળી’ વિષે ની માહિતી મેળવવા મારી ડેસ્ક પર આવી. એણે એના diversity વિષય પરના એક projet માટે ભારતમાં ઉજવાતા ઉત્સવો વિષે કઇ લખવાનું નક્કી કર્યું હતું. એ અરસામાં અહી ‘વોટર્’ film આવી હતી. એ ફિલ્મમાં cછેલ્લે રંગ ઉડાડતાં લોકો ના દ્રશ્યો બતાવે છે. એટલે એણે આ વિષય પર વધારે જાણકારી મેળવવાનું નક્કી કર્યું. ખાસ તો એના વર્ગના બીજા વિદ્યાર્થીઓને પણ આપણા ઉત્સવો વિષે કૈ જાણવા મળે. મેં એને થોડી વેબ સાઈટો http://specials.rediff.com/news/2007/mar/02sd1.htm બતાવી અને સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યુ. ૨૦૦૭ નો આ અનુભવ. હોળી વિષયક પુસ્તકો પણ એને બતાવ્યા. http://spica.mclinc.org/polaris/search/searchresults.aspx?ctx=17.1033.0.0.3&type=Keyword&term=holi&by=KW&sort=RELEVANCE&limit=TOM%3D%2A&query&page=0 ખૂબ ખુશ થઇ ગઈ. થોડા દિવસ પછી આવી ને મને કહી ગઈ કે એને એના ટીચરે A grade આપ્યો હતો.
ધુળેટીના રંગો

પ્રેમ, મૈત્રી અને મસ્તીનો સંગમ
આનંદ, ઉલ્લાસ અને દોસ્તીનો સમન્વય
રંગોની છોળો અને દિલોની ધડકન
ભૂલાવે છે દૂર એક ગરીબનો આંતરનાદ

સાથ, સહકાર અને સ્નેહની સરવાણી કરી
અનુકંપા, લાગણી અને સમભાવને ભેગા કરી,
બોલાવી એ નિર્ધન જીવને રમવા સાથે
ઉલ્લાસની એ ક્ષણ બની અલૌકિક આનંદ સ્ત્રોત.

સાચા genuine અશ્રુઓની ભાષાએટલે અપ્રતિમ લાગણીનું અસ્ખલિત ઝરણું..
હૃદયના દ્વારેથી નયનો થકી ઈશ્વર સાથે થતું direct telecommunication…

Posted by: જય ભટ્ટ | બુધવાર, January 30, 2013

ગાંધી અને સરદાર

“મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે. ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.”

-Swami Sachchidananadji

આખો લેખ વાંચો:  ગાંધી અને સરદાર

Posted by: જય ભટ્ટ | ગુરુવાર, November 1, 2012

દરિયા કિનારે ભીની ભીની માટીમાં ચાલુ છું…

દરિયા કિનારે ભીની ભીની માટીમાં
ચાલુ છું. મારા પગની આંગળીના  નિશાનો માટીમાં
ઉપસી આવે છે. નાનકડું મોજું આવી એની પર ફરી વળે છે.
ફરી પાછુ જાય છે અને નિશાન પાછા જતા મોજાને કહે છે
ભલે તું ફરી આવશે પણ મારું અસ્તિત્વ તો તું પાછુ નહિ
લઇ જઈ શકે તારી સાથે, હું આગળ ચાલુ છું. બસ, ચાલતો જ રહું છું.
મારા અસ્તિત્વને કંડારું છું. દરિયા કિનારે ભીની માટીમાં.
દુર દુરથી આવતા  મોજાઓનો રઘવાટ મારા અસ્તિત્વના નિશાન
તરફ આવતા મધુરું સંગીત બની જાય છે. ગમે તેવા તોફાનો આવતા હોય પણ
અંતરની મીઠી મધુરી શીતળતામાં એ પ્રેરણાનો સ્ત્રોત બની પ્રેમમાં રૂપાંતરિત
થઇ  જાય છે. આજુબાજુ નિરવ શાંતિ. મારા ચાલવાનો અવાજ. મારા અસ્તિત્વના નિશાન અને મોજા
વચ્ચેની કશ્મકશ. ચાલતો જ રહું છું. બસ, બીજે કશે જવું નથી.
આ વિશાળ મહાસાગર, દુર દુર ક્ષિતિજમાં આથમતો પ્રજ્વલિત સોનેરી
ગોળો. અંતર આનંદમય. અચાનક, મોજા સાદ પાડીને બોલાવે છે . કહે છે ક્યાં સુધી દુર
થી જોતો રહેશે. મારામાં છબછબીયા કર. તારા અંતરને ભીંજવી દે. તારું અસ્તિત્વ તો કાયમ રહેશે. પણ મારું અસ્તિત્વ પણ માણી જો, હું અંદર જાઉં છું. હું, મારા અસ્તિત્વની નિશાની અને મોજા મિત્રો બની ગયાં. એ સ્મરણ સનાતન બની ગયું.
અંતરમાં કંડારાઈ ગયું. પગ નીચેથી સરી જતા મોજા અને દુર દુર ઘુઘવતો સાગરને હું બસ જોતો જ રહ્યો….
એ પળ. મારી પળ. પસાર થઇ જતી એ પળ અંતરમાં જકડાઈ ગઈ….પળ તો પસાર થઇ જાય છે પણ સ્મરણોને અમર
કરતી જાય છે…

Posted by: જય ભટ્ટ | ગુરુવાર, November 1, 2012

Sandyની યાદમાં…

જેટલું લખવું હોય એટલું લખો જ્યાં સુધી power છે,
Mobile ને પાછા સાચવી રાખવા પડશે, અને મારા જેવાં હોય એ લોકો તો કદાચ ભૂલી પણ જાય કે ક્યાં મુકાય ગયાં છે….શોધવામાં પાછી દોડાદોડ ..એક બાજુ ૬૦ માઈલની ઝડપે ફૂકાતો પવન હશે, સુસવાટાના અવાજો સંભળાતા હશે અને એમાં જો લાઈટ ઉડી જાય …તો મોબાઈલ ને charge કરવાનું પણ રહી જશે…..Looking forward to an exciting and thrilling two days….. Sandy ને હું બહુ ગમતો લાગુ છું …મારા ઘર પાસે થી પસાર થઈશ એમ જ ક્યારનો  કહ્યા કરે છે… બોલો શું કહેવું આ Sandy ને…..

जब तक जान है लिखते ही रहेंगे,
जब तक passion है पढ़ते ही रहेंगे.
दिल है प्रेम और प्यार भरी ‘Sandy’,
बस..इसे बाँटते ही रहो जीवनभर चलते चले..

આ Sandy પણ ખરો છે..
શરદ પૂનમ ને દિવસે જ આવવાનો  થઇ ગયો..

સુરતની ઘારી ને પણ ભુલાવી દીધી…
હું પણ જોઈ લઈશ Sandy ને…

નીલમ હવે અધીરાઈ થી આંધ્ર પ્રદેશના દરિયા કિનારે
પહોચવાની ઉતાવળ કરે છે… ગઈ કાલના પ્રત્યક્ષ અનુભવ
પછી ફરી એક વાર ઈશ્વર પ્રાર્થના કે નીલમ ને સદબુદ્ધિ મળે અને લોકોને એનાં ઉત્પાત માંથી બાકાત રાખે.

અંતરની આરસીમાંથી થોડું:

જિંદગી એટલે મનગમતી વાતોના સહજ સ્વાદિષ્ટ ચટાકેદાર બટાકા વડા. બસ ખાતા જ જઈએ, ધરાયા વગર…માત્ર, વાતો જ નહી પણ એમાંથી કઈ સારું contribution પણ થાય તો તો જીવનમાં કઈ સરસ કામ કર્યાનો આનંદ પણ થાય. એ આંનદની લ્હાણી એટલે જાણે આરતી પછી અપાતો પ્રસાદ..

વાસ્તવિકતા ને કહો કે બહુ બોલે નહિ, કલ્પનાને કહો કે એમ છોડી ને જાય નહિ…હજી તો ખુબ સર્જન બાકી છે….for the rest of the life..

અદ્રશ્ય પણ અપરોક્ષ અનુભૂતિ, અશ્રાવ્ય પણ આંતરિક રણકાર…
અસીમ પણ હ્રદયસ્થ વિભૂતિ, અધિકાર નહિ પણ અમર અસ્તિત્વ

ખોવાયેલી મૈત્રી પણ અંતરમાં તો સજીવન જ રહે છે. હ્રદયના વિશાળ ભાવવિશ્વમાં માણેલી અને કાયમ માટે અદ્રશ્ય થયેલી પ્રેમાળ  પળ
અંતે તો અંતરમાં અમર બનીને  જ રહે છે.વર્ષો પછી લાગણીનું તુમુલ યુદ્ધ મિત્રતાના એ સંવેદનોને સ્મરણોની માળા બનાવી આંતરમનને  સ્નેહધારાથી ભાવવિભોર  કરે  છે. મૈત્રીની કબર  પર પુષ્પપત્રો ને ભીંજવતા યાદોના આંસુ સરી પડે છે, અને ફરી એ પ્રજ્વલિત બની જાય છે.

ક્ષણોની વણથંભી
વણઝારમાં,
સ્વપ્નાની
વાસ્તવિક દુનિયામાં.
જોઉં છું સમયના
અસંખ્ય પ્રતિબિંબો,
કાયમ માટે
વણાઈ ગયેલા
સ્મરણોના સથવારે

Posted by: જય ભટ્ટ | મંગળવાર, October 2, 2012

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન

હિન્દુસ્તાન નો ઈતિહાસ બે મોહન વચ્ચેનો ઈતિહાસ છે. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાતમાં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું. વાંચો: ગુજરાત સમાચાર માં આગળ:

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન

મહાત્મા, મહા–તમા !  – જુગલ કિશોર કાકાના નેટ-ગુર્જરી બ્લોગ પરથી

વીંછી, પુતળીબા અને ગાંધી – જુગલ કિશોર કાકાના નેટ-ગુર્જરી બ્લોગ પરથી

ગાંધીજી - ગાગરમાં સાગર – ગાંધી કથા

પ્રવિણ શ્રીમાળી: સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!

ગુર્જરીની નવી વેબ સાઈટ પર વાંચો: “ગાંધીજીનો પત્ર: અહિંસાનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે.”

બીજા લેખો વાંચો: ગાંધી કોર્નર પર

‘રાજમોહન ગાંધીની નજરે મહાત્મા ગાંધી’ અને ‘ટાગોર અને ગાંધી’ (આ લેખો સુચવવા બદલ રમેશભાઈ શાહ અને ઊર્મિ નો ખુબ ખુબ આભાર)

ગાગરમાં સાગર પરઃ ‘રડો ન મુજ મૃત્યુને ! –ઉમાશંકર જોશી’

ગાંધીજી-ચેપ્લિનઃ એક વિશિષ્ટ મુલાકાત

ગાંધીબાપુ – સાયબર સફરની વેબ સાઈટ પર

ગુજરાતી વેબ-દુનિયા પરઃ ‘ભારતના મહાન આધ્યાત્મિક ગુરૂ-મહાત્‍મા ગાંધીજી’

ઉમાશંકર જોશીની એક કવિતા લયસ્તરો પરઃ
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

ટહુકા પર અવિનાશ વ્યાસની ગાંધીજી વિશેની એક રચનાઃ
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો

સ્વર્ગારોહણ પર ‘ગાંધીજીનું દેહાવસાન’

રીડગુજરાતી પર   ‘બીડી પીવાનો શોખ – ગાંધીજી’

રીડગુજરાતી પર  ઈશ્વરનો અનુભવ – ગાંધીજી

અમીઝરણું પર ‘ગાંધીડો મારો – મોભીડો મારો’ ,

મધુસંચય પર ‘મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ’,

જયદીપનું જગત પર ‘રૂત ધ્યુ મહાત્મા ગાંધી’

બંસીનાદ પર ડીજીટલ ગાંધી

વિજયનું ચિંતન જગત પર ‘અમારી સાથે ધૂળમાં…/પુ.લ. દેશપાંડે/અનુ. અરુણા જાડેજા January 30, 2007′

ઊર્મિનો સાગર પર ‘ચમત્કારી છપ્પો અને ગાંધીજી!’

સાંભળો ટહુકો પર ‘વૈષ્ણવજન’

વેબ મહેફિલ પર વાંચોઃ ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ

શબ્દશ: પર વાંચો ‘રાજઘાટ’

કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી
લગભગ ૪૦૦ થી ૫૦૦ પૃષ્ઠ નું દરેક વોલ્યુમ એવાં ૯૮ – તમને અહીં વાચવાં મળશે. એક વોલ્યુમ જોયાં પછી બીજું જોવું હોય તો તમારે ફરી થી મુખ્ય વેબ સાઈટ પર જવું પડશે અને પછી જે વોલ્યુમ જોવું હોય તેની પર ક્લીક કરો.
અહીં ક્લીક કરો: કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી

ગાંધીસર્વ ફાઉન્ડેશન નું ડીજીટલ કલેક્શન

ગાંધીજી નો સ્વર, ગાંધીજી પરની વિડિઓ ફીલ્મ, એમની છબીઓ તેમ જ સંગીત માટે  ગાંધીસર્વ ફાઉન્ડેશન ની સાઈટ સાચે જ
ખુબ માહીતિ પૂરી પાડે છે. ગાંધીજી ના ચાહકોને માટે એક અમુલ્ય ખજાનો.

વધારાની માહીતિ માટે જુઓ: ગાંધીસર્વ ફાઉન્ડેશન નું ડીજીટલ કલેક્શન

સ્વરાંજલી પર વાંચો: ગાંધીજી


Posted by: જય ભટ્ટ | બુધવાર, મે 16, 2012

અંતરમાંથી ઉદ્ભવેલું

લખું કે નહિ લખું ની વિમાસણમાં વિચાર confuse થાય છે, વિચારું કે નહિ વિચારું એની વિમાસણમાં સર્જન confuse થાય છે, બુદ્ધિ અને લાગણીના ઘમસાણ યુદ્ધમાં અંતે વાસ્તવિકતાનો પરાજય થાય છે. સર્જનને જીવતદાન મળે છે. કૃતિ એક રચના બનીને કલમબદ્ધ થાય છે. કઈક લખ્યાનો સંતોષ હસ્તાક્ષરોની વણથંભી સરિતા વહેતી કરે છે..

મારું જીવન એટલે મારું કાવ્ય. મારું કાવ્ય એટલે ઈશ્વર પ્રેરિત સુંદર અક્ષરો, ઉત્તમ શબ્દો અને અનુપમ વાક્યોનો અદ્બુત સમન્વય .
મારા જીવનનો દરેક દિવસ એટલે મારા કાવ્યનું એક એક અનુપમ વાક્ય.
મારા જીવનનો દરેક કલાક એટલે મારા કાવ્યનો એક એક ઉત્તમ શબ્દ.
મારા જીવનની દરેક પળ એટલે મારા કાવ્ય શબ્દનો એક એક સુંદર અક્ષર.
મારું આખું કાવ્ય – મારું આખું જીવન વાત્સલ્ય ભાવથી લહેરાતું અને સ્નેહની અમી ધારથી છલકાતું, મારા દિવ્ય પ્રેમને, સમર્પણ.

વહેલી સવારે ગુલાબની પાંદડી પર પડેલા ઝાકળના બિંદુ પર તારું મલકતું પ્રેમાળ મુખ દેખાયું ત્યારે મારું જીવન ભાવ વિભોર બની ગયું અને અંતરમાં લાગણીનો સ્ત્રોત અવિરતપણે વહેવા લાગ્યો. મારું જીવન સાર્થક થયું.

જીવન એટલે જ આકર્ષણ…આકર્ષણ વગર જીવન યાંત્રિક બની જાય છે. કોઈ વિદ્યાર્થી સારું કરે પરિક્ષામાં ત્યારે બીજી પરિક્ષામાં કેવું કર્યું હશે અનુ આકર્ષણ સહજ બની જાય છે. ગુલાબના છોડ પર કળી આવે ત્યારે ગુલાબ કેવું થશે એ જોવાનું આકર્ષણ સહજ થઇ જાય છે.  એક સરસ લખાણ બીજા લખાણ તરફ સહજ આકર્ષણ લાવે છે. સારી વાતચીત થતી હોય ત્યારે ફરી ને ફરી આવી મસ્ત વાત ચીત  થતી રહે એનું આકર્ષણ રહે છે. આ બધાનો સ્ત્રોત પરમ-તત્વ. પણ એનું આકર્ષણ કેમ એટલું બધું રહેતું નથી? કે સ્ત્રોત મારો જ છે એવો અહંકાર? અને પરમ તત્વનું અસ્તિત્વ છે કે નહિ એની શંકા?

અચાનક જ કોઈ મહ્ત્વપૂર્ણ કામ પાર પડે, નદી સાગરમાં ભળે એમ મૈત્રી એકાકાર બને ત્યારે અંતરમાંથી અખૂટ કાવ્યરસ શબ્દાકિત એની જાતે જ થયા કરે….

દરિયાને એમ પણ કહ્યું હશે કે ભલે એ નદી પાછી નહિ આવશે પણ ઉનાળામાં તારું પાણીનો બાશ્પીભવન થશે ત્યારે રૂ જેવા મુલાયમ વાદળામાં થી વરસશે ..પ્રીતની હેલી વરસાવશે અને મને ફરી ભીંજવી દેશે…

અને અચાનક જ વિષાદનું ક્ષણીક્ અસ્તિત્વ સમયના ગહેરાઈમાં ઓગળી ગયું અને કરચલીનું સ્થાન લીધું એક મધુર સ્મિતે.અનરાધાર અશ્રુના બિંદુઓ એકમેક સાથે જોડાઈ ગયા અને પપ્પાની આબેહુબ પ્રતિકૃતિ એમાં જડાઈ ગઈ..અંતરના તાલ સાથે અવકાશમાંથી કહેવા લાગ્યા ‘ હવે તો હું છું.. જીવન તારું ગોઠવી દે’…

દરેક વ્યક્તિનું પોતાનું અંતર લાગણીનો અવિરત સ્ત્રોત બનીને આવે છે.એ જ્યાં જાય છે ત્યાં ચાંદનીની જેમ લાગણીની શીતળતાને ફેલાવે છે. માત્ર ફરક એટલો જ કે પુનમ અને અમાસની જેમ એની લાગણીમાં વધ ઘટ થતી નથી. સતત અવિરતપણે વહ્યા જ કરે છે…

પહેલી વખત મળવાનો અભરખો તારો,
તારી શરમાળ આંખોમાં ખોવાઈ જતો અભરખો તારો,
પણ એજ શરમાળ અભિગમ લાવતો સળવળાટ અંતરે મારા,
બસ પછી તો શું ?

આભાર ઈશ્વર તારો કે આવી feelings નું સર્જન કરી આપવા બદલ…
કવિઓની ઉછળતી લાગણી રેલાઈ જતી સ્નેહની અવિરત ધારા થકી desktop કે mobile પર…

આ લેખ મારા બ્લોગ પર પોસ્ટ કરવાની અનુમતિ આપવા બદલ સાકેતભાઈ દવે નો ખુબ ખુબ આભાર.

૩૦ જાન્‍યુઆરી,૧૯૪૮ના રોજ  મદનલાલ પાહવા એ ગાંધીજીની પ્રાર્થના-સભામાં બોંમ્‍બ ફેંકી તેમની હત્યાની કોશિશ કરી, ગૃહમંત્રી શ્રી સરદાર પટેલે ગાંધીજીને તેમને રક્ષણ આપવાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો, પણ બાપુના જવાબ (આજના નેતાઓએ સાંભળવા જેવા) હતા કે,

- મારા સિદ્ધાંતોનું મહત્વ છે, મારા શરીરનું કોઈ મહત્વ નથી

- મારી જીંદગી ઇશ્વરના હાથમાં છે, જો એ મને મારવા માંગતો હશે તો કોઇ બચાવી શકશે નહીં

- જે સલામતિ-રક્ષકોના ટોળા વગર ફરી શકતો ન હોય તેણે પદ પર રહેવાનો અધિકાર નથી

- પ્રાર્થના સભામાં આવનાર લોકોની તલાશી લેવામાં આવશે તો હું પ્રાર્થના બંધ કરી દઇશ

30 જાન્‍યુઆરીએ સાંજે પાંચેક વાગે સાત ચેમ્‍બરવાળી બેરેટા પિસ્‍તોલ સાથે 37 વર્ષિય નથુરામ ગોડસે ઘણી આસાનીથી પ્રાર્થના સભામાં પ્રવેશ્યા, નિર્ભયતાની મૂર્તિસમા બાપૂ તેમના માટે એક સોફ્ટ ટાર્ગેટ હતા, પગે લાગવાના ડોળ પછી ગોડસેએ એક પછી એક એમ ત્રણ ગોળી છોડી, અને મુખ પરના વેદના-રહિત ભાવ અને બે હાથ જોડેલા રાખી કોઇ મરણચીસ વગર ‘હે રામ’ ઉદગાર સાથે મહામાનવ ઢળી પડ્યા, જાણે હિમાલય કણ કણ થઇ વેરાઇ ગયો….

નવી પેઢીના ઘણા લોકોને એન્ટી-ગાંધી વાતોની ફેશન કરતા જોયા છે ત્યારે એટલું થાય કે ગાંધીજી પણ એક માણસ હતા એટલે એમની પણ મર્યાદાઓ હતી, પણ એમના સિદ્ધાંતોથી મળેલી આઝાદીની કિંમત નહીં સમજીએ તો દેશ આપણા માટે શરમ અનુભવશે ….

ત્રણ ગોળી ગાંધીના શરીરને છેદી શકે, તેના વિચારોને નહીં…

Photo from film : Nine Hours to Rama

સદર્ભ: Assassination of Mohandas Karamchand Gandhi

“On 20 January 1948, Madanlal Pahwa, Shankar Kistaiya, Digambar Badge, Vishnu Karkare, Gopal Godse, Nathuram Godse, and Narayan Apte came to Birla Bhavan (aka Birla House) in Delhi to carry out another attack on Mahatma Gandhi and Huseyn Shaheed Suhrawardy.[6] Except for Madanlal Pahwa and Vishnu Karkare, everyone else reached the venue through the rear entrance in a cab. Madanlal Pahwa tried to bribe Choturam, the driver at Birla Bhavan, to let him go behind the podium to take pictures of Gandhi. However, Choturam became suspicious and asked Madanlal Pahwa why he needed photographs from behind, and inquired about the absence of a camera. Madanlal Pahwa instead left, making Choturam think he was going back to the taxi; however, he placed a cotton ball enclosing a bomb on the wall behind the podium and ignited it. The bomb went off without creating any panic. The team had left after abandoning Madanlal Pahwa.”

સદર્ભ ૨: અંતિમ અધ્યાય – પ્યારેલાલ (અનુ. મણિભાઈ ભ. દેસાઈ)

[ગોળી છૂટે ત્યારે પણ રામનામ લેતો રહું : 20 જાન્યુઆરી, 1948]

ઉપવાસ છોડ્યા પછી બે દિવસ બાદ, 1948ના જાન્યુઆરીની 20મી તારીખે ગાંધીજી પ્રાર્થના પછી પ્રવચન કરી રહ્યા હતા ત્યારે, એક મોટો ભડકો થયો. એથી પ્રાર્થનાસભામાં થોડી ધમાલ થવા પામી. ગાંધીજીએ સભાજનોને ગભરાટમાં પડી જવા માટે ઠપકાર્યા. થોડા સમય બાદ ફરીથી વ્યવસ્થા સ્થપાઈ, ત્યારે માલૂમ પડ્યું કે ગાંધીજી બેઠા હતા ત્યાંથી 75 ફૂટ દૂર બૉમ્બ ફૂટ્યો હતો અને તેને પરિણામે ભીંતનો થોડો ભાગ નાશ પામ્યો હતો. હુમલો કરનાર, પશ્ચિમ પંજાબથી આવેલો પચીસ વરસનો મદનલાલ પહવા નામનો નિરાશ્રિત હતો. ગાંધી બચી જવા પામ્યા એ માટે ચોપાસથી તેમના પર અભિનંદનોનો વરસાદ વરસ્યો.

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 60 other followers