Posted by: bansinaad | Saturday, June 27, 2009
એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરીઃ બીજા સારાં વિદ્યાર્થિઓ પરિણામ ભોગવે. શું આ ઉચિત છે?
ત્રણેક મહિના એક ભારતીય વિદ્યાર્થિ મારી ઓફિસમાં મને મળવા આવ્યો.
Posted in મારૂં સર્જન, સંસ્કૃતિ
Posted by: bansinaad | Saturday, June 20, 2009
પ્રશ્નોની દુનિયામાં
પ્રશ્નોની દુનિયામાં
આજે મારા પુસ્તકાલયની ખુરશી પર બેઠાં બેઠાં વિચાર આવ્યો કે વિવિધ સંજોગોમાં ઉદ્ભવતાં સવાલોની એક યાદી બનાવું.
એ સવાલો દ્વારા કંઈક વિચાર-વિમર્શ કરી જીવનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ.
જુદા જુદા સમાજો બનાવીને (દા.ત. બ્રાહ્મણ સમાજ, ગુજરાતી સમાજ, મરાઠી મંડળ વગેરે) કોઈપણ દેશ એક ‘અખંડ સમાજ બનીને રહી શકે ખરો?
આપણાં દેશમાં પુસ્તકાલયો કેમ વધારી શકાતાં નથી? અહીંના પુસ્તકાલયોમાં જ્યારે આબાલવ્રુદ્ધ બધાંને કંઈ ને કંઈ માહિતિ મેળવતા નિહાળું છું ત્યારે એક ખેદ જરૂર અનુભવું છું કે આપણે સાથે જાણકારી મેળવવાની એક સુંદર તક ગુમાવી રહ્યા છીએ.
ઝી ગુજરાતી ચેનલ બંધ થવા બદલ કોણ જવાબદાર?
જીવનમાં બાળકોને સંવેદનશીલ બનાવવા જરૂરી છે ખરા?
Posted in મારૂં સર્જન
Posted by: bansinaad | Monday, June 8, 2009
વિજ્ઞાનને લગતાં સંગ્રહાલયો અને પ્રદર્શનો
વિજ્ઞાનને લગતાં સંગ્રહાલયો અને પ્રદર્શનોને લગતો મારો બ્લોગ
વાંચોઃ
My favorite thing to do with technology is
આ બ્લોગ શાળામાં ભણતાં બાળકો અને આબાલવ્રુદ્ધ સૌ કોઈને વિજ્ઞાનવિષયક માહિતિ અને મનોરંજન પૂરૂં પાડશે એવી આશા છે.
Posted in મારૂં સર્જન
Posted by: bansinaad | Saturday, May 9, 2009
સંબંધોની મીઠાશ
સંબંધોની મીઠાશ મીઠાં સંબંધોનું ભાવ-વિશ્વ ક્યારે અને કેવી રીતે પ્રગટ થવાં માંડે છે તે ઘણી વખત આપણી સનજણની બહાર હોય છે. મીત્રતા ક્યારે બની, ક્યારે ગાઢ બની, કેવી રીતે બની અને એક સુંદર સંબંધમા કઈ રીતે પરિણમી એની સમજણ અચાનક જ આવી જાય છે. અચાનક કોઇ એક ક્ષણે કોઈની સાથે મળવું, વાતો શરૂં થવી અને એકબીજાં ને ગમતાં વિષયો પર વિચાર વિમર્શ થવો, ધીમે ધીમે અરસ પરસ સલાહોની આપ-લે થવી અને આ રીતે એક મીઠો સંબંધ બનવાની શરૂઆત થાય છે. જેમ જેમ મૈત્રી વધે છે, નિખાલસતા વધે છે, અને સાથે સાથે જુદાં જુદાં વિષયો પરનું જ્ઞાન પણ વધે છે. વિપરીત પરિસ્થિતિમાં તરત જ મિત્રને સહાયરૂપ બનવું અને મદદ કરવાં દોડી જવું અને તેથી જ સંબંધ અને મૈત્રી વધુને વધુ ગાઢ બનતી જાય છે, સંવેદનશીલ બનતી જાય છે. અરસ પરસના હિત ચિંતક બનવાને લીધે દુનિયાની દરેક વ્યક્તિને યથાશક્ય કેમ સહાયરૂપ થવું તેવો ભાવ પણ વધતો જાય છે. નિરંજન ભગતની રચના ‘કૃતજ્ઞતાને ઊજવી રહ્યો’ માં રહેલો મૈત્રીભાવ “મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો, આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.” સાર્થક થતો જણાય છે.
Posted in સ્નેહના અમૃતબિંદુ
Posted by: bansinaad | Saturday, April 25, 2009
શું જીવનમાં સંવેદનશીલ બનવું જરૂરી છે ખરૂં?
શું જીવનમાં સંવેદનશીલ બનવું જરૂરી છે ખરૂં?
જે રીતે દરરોજ જે બનાવો બની રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે માનવ જીવનમાં સંવેદનશીલતાનું મહત્ત્વ દિવસે ને દિવસે ઘટતું જાય છે.
અહીંની શાળાઓમાં કેવી રીતે ‘સ્વતંત્ર’ બનવું એની પર વધારે ભાર અપાય છે. જુદાં જુદાં વિષયોમાં કેવી રીતે શીખવું એની પર પણ ખૂબ ભાર અપાય છે. પણ જીવનમાં ‘સંવેદનશીલતા’નું પણ આગવું મહત્વ હોઈ શકે તે કોણ શીખવાડશે?
ભવિષ્યમાં આ બાળકો મોટાં થઈને કદાચ મોટી પદવીઓ હાંસલ કરી શકશે પણ સંવેદનશીલ બની કોઈ વ્યક્તિના દૂઃખમાં સહભાગી બની શકશે ખરાં? ગણતરી વગરનો પ્રેમ આપી શકશે ખરાં? ક્દાચ એવું પણ હોઇ શકે કે વ્રુદ્ધ થયા પછી એમને પણ સ્વતંત્ર રીતે જ બધાં પ્રશ્નો જાતે જ હલ કરવા પડશે અને એથી જ બાળકોને શરુઆતથી જ આવું શિક્ષણ અપાતું હોય.
થોડાં દિવસ પર એક વૃદ્ધા લાયબ્રેરીમાં મારી ડેસ્ક પર આવી અને મને જણાવ્યું કે એને ‘કેન્સર’ છે. હોસ્પીટલમાં એ મળશે ત્યારે એને ડોક્ટર વધારે વાત કરશે. એકલી વૃદ્ધા .. કેન્સ્રર વિષે વધારે માહીતિ મેળવવા લાયબ્રેરીમાં આવી હતી. સાથે કોઈ નહિ. પોતાની જાતે જ કાર ચલાવીને આવી હતી. મેં શોધી આપેલા પુસ્તકોમાંથી વાંચીને જાણવાનો પ્રયત્ન કરતી હતી જેથી ડોક્ટરને મળે ત્યારે એ વિષે વધારે જાણકારી માટે પ્રશ્નો પુછી શકે. અહીં લાયબ્રેરીમાં અમને સંવેદનશીલ અભિગમ વ્રદ્ધો તરફ ખાસ દર્શાવવાનુ કહેવામાં આવે છે. મને એનો પ્રત્યક્ષ અનુભવ થયો. મેં પુસ્તકો લાવીને એના ટેબલ પર મૂક્યા. જતી વખતે લાગણીવશ થઈ મને આશિર્વાદ આપતી ગઈ.
કદાચ ભારતમાં પણ આવી પરિસ્થિતિ જોવાં મળે ખરી. રિદ્ધિ કોટેચાના બ્લોગ પર આ વાત જરૂર જોવા મળે છે. વ્યાવહારિક અને વાસ્તવિક વલણ પર વધુ પડતો ભાર મૂકાવાને કારણે માનવ ‘માનવ’ બનવા તરફથી વધુ ને વધુ વિમુખ થતો જણાય છે.
Posted in મારૂં સર્જન, લાયબ્રેરીના અનુભવો, સ્નેહના અમૃતબિંદુ
Posted by: bansinaad | Saturday, April 11, 2009
હિમાલયને ગિરિરાજ અને તીર્થરાજ કેમ કહેવાય છે?
હરિશ ત્રિવેદી લિખિત ‘ઉત્તરાખંડ: પ્રકૄતિથી પ્રભુ..’ પુસ્તકમાંથી સાભારઃ
હિમાલયને ગિરિરાજ અને તીર્થરાજ કેમ કહેવાય છે?
“સારી દુનિયામાં વિશા અને ઊંચો છે માટે તેને ગિરિરાજ કહેવાય છે પરંતુ તીર્થરાજ શા માટે?
હિમાલય એટલે શિવની અર્ધાંગિની પાર્વતીના પિતા. શિવજી અને વિષ્ણુના નિવાસ હિમાલયમાં છે. શિવજી અને પાર્વતીના લગ્ન અહિયા થયા.
નર અને નારાયણે અહીંયા જ તપ કર્યું. કુંતી પુત્ર કર્ણે તપ કરી સૂર્ય પાસેથી અભેદ્ય કવચ અહીંયા મેળવ્યું. નારદે તપ કરી સર્વજ્ઞ પદ અહીંય મેળવ્યું.
મહિષાસુર મર્દિનીનું પ્રાગટ્ પણ અહીંયા જ થયું. પાંડવોનો જન્મ અને મુક્તિ અહીંયા જ થયા. દેવોના સેનાપતિ કાર્તિકેયનો જન્મ પણ અહીં જ થયો. આદ્યગુરૂ શંકરાચાર્યે સર્વજ્ઞપદ અહીં જ મેળવ્યું. અર્જુને શિવજી પાસેથી પાશુપતાશાસ્ત્ર અહીં મેળવ્યું. ગરૂડે પ્રભુનું વાહન બનવા અહીં સાધના કરી.
આ બધા ઉપરાંત ગિરિરાજને તીર્થરાજની સંજ્ઞા પ્રાપ્ત થઈ તે ગંગામૈયાના અવતરણ અંગે. તે અવતરણ અહીંયા જ થયું. આ ગંગા હિમાલયમાં ઉતરી જ ન હોત તો આ હિમાલયને તોડવાની કોઈની તાકાત હતી? અને ઋષિમુનિઓ માટે કોણ માર્ગ કરી આપત ! ગંગામાં આપણું જીવન, સંસ્કૄતિ અને ધર્મ બધું જ સમાયેલું છે. આ પુણ્યભૂમિ છે. અને અત્યારે પણ સાધુ-સંતોની આ જ ભૂમિ છે. …યાત્રાનો ભાવ હોય છે. ભાવ તેવો ભગવાન. શ્રદ્ધાવાન તો પત્થરમાં શિવલીંગ અને ઝરણે ઝરણે ગંગા જુએ છે. …ભારતવર્ષમાં અધ્યાત્મનો ધ્વજ હજુ અણનમ રહ્યો છે તેનું કારણ આ તીર્થરાજ અને ખોળે વહેતી ગંગા પણ છે. અધ્યાત્મ અને પૂણ્યભૂમિનો વારસો આ ગિરિરાજમાં છે.”
‘ઉત્તરાખંડ: પ્રકૄતિથી પ્રભુ..’ , હરિશ ત્રિવેદી, પૄ. ૨૦૫.
(તૃતિય પારિતોષિક પુરસ્કૃત પુસ્તક – (ગુજરાત સાહિત્ય અકાદેમી – વર્ષ ૨૦૦૦)
Posted in મારૂં સર્જન, સંસ્કૃતિ
Posted by: bansinaad | Saturday, April 4, 2009
કાન્તિ ભટ્ટ – દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ
કાન્તિ ભટ્ટ – ‘દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ’
જગતપ્યાલો
હે જી ભાઈ, લ્યો/ આ જગત ભર પ્યાલા / જતનસું પીઓ
પીઓ મતવાલા / રે કોઈ પીઓ મતવાલા / એ
રે પ્યાલામાં અમરત ઊછળે / ઊડે રસની ધારા મિલન
વિરહના બુંદ-બુંદ વિલસે / પલપલ રંગ પલટતા
સ્મિત ચમત્કાર ઊમટતા/ રે કોઈ પીઓ પીઓ મતવાલા
/ જતનસું પીઓ પીઓ મતવાલા.
- ઉમાશંકર જોષી
“ઘણા વિદ્વાનોએ લખ્યું છે કે, જીવનનાં બે અમૂલ્ય રસાયણો હોય તો એ પ્રેમ અને પ્રવૃત્તિ છે. પ્રેમ તો તમે નસીબદાર હો તો મળે છે, પણ પ્રથમ શરત એ છે કે તમે પ્રેમાળ બનો. મારા જીવનમાં મેં આ વાત સતત યાદ રાખી છે. મનમાં ધિક્કાર રાખવા કરતાં ક્ષમાશીલ બનીને બીજા પ્રત્યે પ્રેમાળ બનો, વેરભાવ ન રાખો. ગુસ્તાવ ફલોબર્ટ નામના ફ્રેન્ચ લેખકે કહ્યું હતું કે કોઈ પણ કાર્યમાં સતત ડૂબેલા રહો તો તમને કદી જ જીવનમાંં અસંતોષ નહીં લાગે. સતત પ્રવૃત્તિ આપણા આત્માને મોજમાં રાખે છે. Constant work produce an opium that numbs the soul. “
આગળ વાંચોઃ કાન્તિ ભટ્ટ – દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ અને મુખ્ય વેબ સાઈટઃ ફીલિંગ્સ
Posted in આરોગ્ય વિષે, સ્નેહના અમૃતબિંદુ
Posted by: bansinaad | Wednesday, March 18, 2009
ડો . કિશોર મોદીની એક રચનાઃ વસંતની
વસંતની
હર પળ હવે ગુલાબી છે ઈચ્છા વસંતની,
હર શ્વાસમાં સુહાય છે ઘટના વસંતની.
તું પાનખરને મૌનનું કારણ પૂછીશ મા,
હર પાંદ પાંદ સ્પર્શી છે લજ્જા વસંતની.
શર્મિલા સ્મિત ફૂલ જેવાં રૂપમય મળે,
હર આંખમાં નીખરતી જો આભા વસંતની.
એ ઓઢણી સુગંધથી મઘમઘતી માણી લે,
હર મંજરી ને તું વળી તનયા વસંતની.
ગુનગુન, કૂજન, પવન મહીં મર્મરની આરજૂ,
હર બાગમાં મોરી ગઈ ૠચા વસંતની.
રૂપેરી યાદની પરબ લઈ સાંજ આવી છે,
હર કોઈ મોજથી પીઓ સુધા વસંતની.
સ્ત્રોતઃ કિશોર મોદી, ‘ફ્લાવરવાઝઃ અમેરિકામાં વસતા કવિઓની કવિતાનો સંચય’, સંપાદનઃ પ્રીતમ લખલાણી, પૃ. ૬૬
Posted in વીણેલાં મોતી
Posted by: bansinaad | Thursday, March 12, 2009
કૃતજ્ઞતાને ઊજવી રહ્યો – નિરંજન ભગત
કૃતજ્ઞતાને ઊજવી રહ્યો - નિરંજન ભગત
મને ગમતી એક સુંદર રચના
આજે સિત્તેર વર્ષનો થયો.
તે કોને કારણે?
દેવોને કારણે? ગ્રહોને કારણે?
દેવો? એમને તો મેં જોયા નથી જાણ્યા નથી,
સૌ કયા સ્વર્ગમાં વસે છે? કોણ જાણે છે ?
ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું જોયો પણ નથી
એટએટલા દૂર વસે છે
એમણે મને જિવાડ્યો નથી.
એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી.
મારી પાસે, મારી આસપાસ, પણ છે મિત્રો,
એમને મે જોયા છે, જાણ્યા છે;
એમણેય મને જોયો છે, જાણ્યો છે,
એમણે જ મને જીવનનો રસ પિવાડ્યો છે.
એમણે જ મને જિવાડ્યો છે
એમને કારણે તો આજે સિત્તેર વર્ષનો થયો છું.
એથી જ મારા કેલેન્ડરમાં
દેવો અને ગ્રહોનાં નામ પરથી નહિ.
મિત્રોનાં નામ પરથી વાર ને મહિનાના નામ છે.
આજે હું માત્ર મારા જન્મને જ નથી ઊજવી રહ્યો;
મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો,
આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.
કૃતિઃ નિરંજન ભગત, ‘કવિતા’, અંક ૨૪૫, વર્ષ ૪૧, જૂન-જુલાઈ ૨૦૦૮, પૃ. ૩૯ . (તંત્રીઃ સુરેશ દલાલ)
Posted in કાવ્યકુંજ, વીણેલાં મોતી
Posted by: bansinaad | Wednesday, March 11, 2009
બૌદ્ધ પ્રાર્થના
અગિયારમી સદીમાં તિબેટમાં એક મહાન બૌદ્ધ સાધુ થઈ ગયો. દલાઈ લામા રોજ જ એ સાધુએ રચેલી પ્રાર્થનાનો પાઠ કરતા હોય છે.
પ્રાર્થનાનું શીર્ષક છેઃ ‘ધ એઈટ વર્સીસ ઓન ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ’. પ્રાર્થનાની થોડીક પંક્તિઓઃ
જ્યારે પણ હું
કોઇના સંપર્કમાં આવું ત્યારે
મારી જાતને અલ્પ ગણું અને
હ્રદયના ઊંડા ભાવ સાથે
એ બીજા માણસને મહાન ગણું
જ્યારે હિંસા અને પાપાચારથી ભરેલા
લુચ્ચા જીવોને હું મળું ત્યારે જાણે કોઈ
મૂલ્યવાન ખજાનો મળ્યો હોય, એમ એમને વહાલા ગણું.
કોઈ મને ઇર્ષ્યાને કારણે ગાળો ભાંડે કે
અપમાનિત કરે ત્યારે હું હાર સ્વીકારી લઉં અને
અન્યને વિજય અર્પણ કરી દઉં.
હું સૌ જીવોને લાભ અને સુખની લહાણી કરું
અને કોઈ ન જાણે તેમ
સૌ જીવોની ઇજા અને યાતના હું મારી જાત પર લઈ લઉં !
સાભારઃ ગુણવંત શાહ, ચંદરવો, વિચારોના વૃંદાવનમાં, દિવ્ય-ભાસ્કર શુક્રવાર જાન્યુઆરી ૧૦, ૨૦૦૯
Posted in વીણેલાં મોતી
